મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ આઈપીએલની આગામી સિઝન માટે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે.
મહત્વનું છે કે રોહિત શર્મા સતત 10 વર્ષ સુધી મુંબઈનો કેપ્ટન હતો અને તેણે ટીમને પાંચ વખત ખિતાબ અપાવ્યો હતો.
જોકે, રોહિતને સુકાનીપદેથી હટાવ્યા બાદ ચાહકો નિરાશ છે.


માત્ર ચાહકો જ નહીં પરંતુ મુંબઈના કેટલાક ખેલાડીઓ પણ દુઃખી છે. સિનિયર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.
સૂર્યકુમાર યાદવે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં દિલ તૂટયાનો ઇમોજી શેર કર્યો છે જે સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો હતો.

લોકોને લાગે છે કે રોહિતને કેપ્ટન્સીથી હટાવવાથી સૂર્યકુમાર નારાજ છે.
વાત એમ પણ હતી કે જો રોહિત શર્મા સુકાની પદ છોડે છે તો સૂર્યાને આ જગ્યાની જવાબદારી મળી શકે તેમ હોવાનું મનાતું હતું પરંતુ હાર્દિકને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક બે વર્ષ પહેલા મુંબઈ છોડીને ગુજરાત આવ્યો હતો ત્યાં તેણે બે સિઝન માટે કેપ્ટનશીપ કરી હતી.
હવે તે મુંબઈની ટીમમાં પાછો આવ્યો છે અને તેને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
સૂર્યકુમાર યાદવની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી બાદ તેની પત્ની દેવીશા શેટ્ટીએ પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોતાની લાગણી વ્યક્ત કરી હતી જોકે, તેણે થોડા સમય બાદ તે મેસેજ ડિલીટ કરી દીધો હતો. દેવીશા શેટ્ટીએ લખ્યું હતું કે, “આપ જીસ તરહ સે લોગોકે સાથ વ્યવહાર કરતે હૈ,વહ હંમેશા યાદ રખ્ખા જાયેગા”

સૂર્યા મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલો પહેલો વ્યક્તિ નથી જેણે હાર્દિકને ટીમમાં લાવવા અથવા તેને કેપ્ટન બનાવવા અંગે નારાજગી વ્યક્ત કરી હોય જ્યારે હાર્દિક મુંબઈ ટીમમાં પાછો આવ્યો ત્યારે જસપ્રિત બુમરાહે પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક પોસ્ટ શેર કરી હતી. જેમાં લખ્યું હતું કે, “કભી કભી મૌન હી સર્વોત્તમ ઉત્તર હોતા હૈ ” આ પોસ્ટ શેર કરતા બુમરાહે લખ્યું હતું કે, “કભી કભી લાલચી હોના અચ્છા હોતા હૈ ઔર વફાદાર હોના અચ્છા નહિ હૈ!”